નવી દિલ્હી, તા.26
સુપ્રિમ કોર્ટે ઇવીએમ અને વીવીપેટ અંગેની અરજીનો નિકાલ કર્યાના કલાકોમાં જ ફરી એક વખત ચૂંટણીનો વિવાદ સર્વોચ્ચ અદાલતમાં ગયો છે અને તેમાં મતદાન બાદ જો કોઇપણ ઉમેદવાર કરતાં ‘નોટા’ને વધુ મત મળે તો ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવા અને ચૂંટણી લડતા ઉમેદવારો પર એક ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરતી અરજી કરવામાં આવી છે.
દેશમાં ‘નોટા’ના અમલ બાદ તે ફકત ઔપચારિકતા રહી છે અને ‘નોટા’માં ગમે તેટલા મત મળે પણ તે આખરી પરિણામ પર કોઇ અસર કરતાં નથી. તે સમયે એક જાહેર હીતની અરજી મારફત જાણીતા વક્તા અને લેખક શિવ ખેડાએ ‘નોટા’નું મહત્વ વધારવા માંગણી કરી હતી.
જણાવ્યું હતું કે સુરતમાં જે રીતે ભાજપના ઉમેદવાર બિન હરિફ જીતી ગયા કારણ કે તે એક માત્ર ઉમેદવાર સ્પર્ધામાં હતા અને બાકીના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો તેઓએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
આમ મતદાન થયા વગર તમામ મતો એક જ ઉમેદવારને મળ્યા તેવું માની લેવામાં આવ્યું હતું પરંતુ આ સ્થિતિમાં ‘નોટા’ને પણ એક ઉમેદવાર જાહેર કરાય અને જો ચૂંટણી લડતા ઉમેદવાર કરતાં ‘નોટા’ને વધુ મત મળે તો તે ચૂંટણી રદ થવી જોઇએ.
અરજી કહેવામાં આવ્યું હતું કે, 2013થી લાગુ થયેલી આ સિસ્ટમમાં ‘નોટા’માં મત મળે તેની કોઇ અસર ચૂંટણીના પરિણામ પર થતી નથી જેથી ‘નોટા’ હોય કે ન હોય બંને સમાન સ્થિતિ છે. પરંતુ ‘નોટા’ને મહત્વ આપવા માટે તેને પણ ઉમેદવાર ગણવા જોઇએ.
‘નોટા’થી ઓછા મત મેળવનાર તમામ ઉમેદવારને પાંચ વર્ષ માટે ચૂંટણી લડતા ગેરલાયક ઠરાવવા જોઇએ. આ અરજી પરથી સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ આપી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy