શ્રીનગર, તા 26
ચૂંટણીના બહિષ્કારના આદેશ અને આતંકવાદી ધમકીઓને કારણે મતદાનના દિવસે શાંત રહેલા કાશ્મીરમાં ચિત્ર બદલાય રહ્યું છે. હવે બહિષ્કારનો આદેશ આપવાને બદલે લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા રેલીઓ યોજવામાં આવી રહી છે. મતદાન અંગે જાગૃતિ લાવવા શેરી નાટકો અને અન્ય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના સરનાલ વિસ્તરમાં મતદાર જાગૃતિ રેલી જોઈને લોકોના ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યા છે. દર વખતે ચૂંટણીના બહિષ્કારના આદેશો અને આતંકવાદી ધમકીઓને કારણે તેમને ઘરોમાં જ રહેવું પડતું હતું, મતદાનના દિવસે સંપૂર્ણ રીતે સન્નાટો છવાઈ જતો હતો.પરંતુ આ વખતે વાતાવરણ બદલાયું છે.
બહિષ્કાર ના બદલે લોકોને મતદાન માટે પ્રેરિત કરવા રેલીઓ યોજવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે માની નથી શકતુ કે આ દક્ષિણ કાશ્મીર છે. અમે પણ 7મી મેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ત્યાંથી લગભગ 80 કિલોમીટર દૂર શ્રીનગરના ઝેંદર મોહલ્લાના મોહમ્મદ અયુબ નું કહેવું છે કે જૂના દિવસો પાછા ફર્યા છે.
એવું કહેવાય છે કે તેમણે 1983માં પહેલી વાર વોટ આપ્યો હતો. આ પછી માત્ર હડતાલ અને બંધના આદેશો જ સંભળાયા છે. હવે પરિસ્થિતિ ફરી બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. કલમ 370 હટાવી દેવામાં આવી છે હવે કાશ્મીરનું વાતાવરણ બદલાઈ ગયું છે.
મતદાન પહેલા જ ચૂંટણી રેલીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને મતદાન અંગે જાગૃત કરવા દરેક શહેરમાં ઝુંબેશ ચાલી રહી છે. શ્રીનગરનો લાલચોક હોય કે દક્ષિણ કાશ્મીરના ચોકો અને શેરીઓ, બધે જ મતદાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. મતદાર જાગૃતિ અભિયાનમાં ઉમટી રહેલી ભીડથી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7 મેના રોજ અનંતનાગ-રાજૌરી સીટ કાશ્મીર અને જમ્મુ ડિવિઝનમાં વિભાજિત થઈ છે, 13 મેના રોજ શ્રીનગર સીટ અને બારામુલ્લામાં વિભાજીત થઈ છે.આ બેઠક પર 20 મેના રોજ મતદાન થવાનું છે. અનંતનાગ-રાજૌરી અને શ્રીનગર બેઠકો માટે નોમિનેશન રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે.
આવી સ્થિતિમાં રાજકીય પક્ષોની રેલીઓ પણ તેજ થઈ ગઈ છે. આ સભાઓમાં ઉમટેલી ભીડ લોકોના ઉત્સાહની સાક્ષી પુરી રહી છે. આ વખતે કાશ્મીરમાં મતદાન પ્રત્યે ખાસ કરીને યુવાનોમાં ઘણો ઉત્સાહ છે.
મતદાન અંગે જાગૃતિ લાવવા માટે ખીણના દરેક જિલ્લામાં શેરી નાટકો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભાગ લઈ રહ્યા છે. મતદાનની ટકાવારીમાં પણ તેની અસર ચોક્કસપણે જોવા મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy