(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.27
સુરેન્દ્રનગર 60 ફૂટ રોડ પર અકસ્માત સર્જનાર કાર ચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચેતનભાઇ અશ્વિનભાઇ જાદવ પોતાના પરિવાર સાથે અમદાવાદ જવા નિકળ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર 60 ફૂટ રોડ પર સામેથી આવતી વૈભવી કારના ચાલકે પુરપાટ ચલાવી ચેતનભાઇની કારની સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ચેતનભાઇ, તેમના માતા જશુબેન અને પત્ની શ્વોતાબેનને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
ઘાસચારો ભરેલ ગાડી સળગી
લખતર તાલુકાના મોઢવાણા ગામ નજીક સ્ટેટ હાઇવે ઉપરથી કડબ ભરીને પસાર થતી ગાડી અચાનક સળગી ઉઠી હતી. ગાડીમાં રાખવામાં આવેલી કડબ પણ સળગી ગઈ હતી. ત્યારે સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું હતું. જો કે, આગનું કારણ બહાર આવ્યુ ન હતુ. જ્યારે ગાડીનો ફૂલ વીમો હોવા છતાં વીમા કંપની જવાબ ન આપતી હોવાનો આક્ષેપ પણ વાહનચાલક દ્વારા કરવામાં આવ્યો હતો.
જૈનાબાદ નજીકનાં નગવાડાથી કડબ ગાડીમાં ભરીને સુરેન્દ્રનગર વહેંચવા લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન ગાડી લખતર તાલુકાના મોઢવાણા નજીક પહોંચતા જ અચાનક કડબ સળગી ઉઠી હતી. આ કડબ સળગી ઉઠતાં ગાડી પણ સળગી હતી. ચાલકને આ અંગે જાણ થઈ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. લખતર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા જ ન હોવાથી સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી. આ આગ કઇ રીતે લાગી તે કારણ અકબંધ રહ્યુ હતુ.
આ દરમિયાન ગાડીનાં ચાલક મહેબુબભાઈ યાકુબભાઈ વડગામાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગાડીનો ફૂલ વીમો હોવા છતાં વીમા કંપની જવાબ આપતી નથી. તો સ્થળ ઉપર તપાસ માટે પણ આવી નથી. ગાડીમાં લગભગ 500 કિલો જેટલી કડબ હોવાનું પણ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy