રાજકોટ,તા.24
બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 16માં વર્ષે હનુમાન જન્મોત્સવની રથયાત્રા ગઈકાલે નીકળી હતી. રથયાત્રામાં 100 થી વધારે સંસ્થાઓ સામેલ થઈ હતી. યાત્રામાં 60 થી વધારે આકર્ષક અને નયન રમ્ય ફલોટેસ સામેલ કરાયા હતાં. સર્વ પ્રથમ 51 ફુટનો ભગવો ધ્વજ લઈને ભકતો ચાલ્યા હતો. બડા બજરંગ દાદાની મૂર્તિ રજવાડી રથને રસ્સા વડે ભકતો દ્વારા ખેંચવામાં આવી હતી.
આ પ્રસંગે 151 કિલોનો મનીનદાનો પ્રસાદ રથયાત્રાના રૂટમાં વિતરણ કરવામાં આવ્યો હતો.દાદાના રથની ઉપર ટોપ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ધાર્મિક ઉપરાંત સામાજીક સંદેશ આપતા ફલોટસ જોડાયા હતા. બજરંગીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર અખાડાના હાલ જેવા કરતાઓ કરી શકિતનું પ્રદર્શન કરેલ હતું. ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પોની વર્ષા તેમજ ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવેલ હતું.
યાત્રાના સમગ્ર રૂટ પર સરબત છાશનું વિતરણ કરવામાં આવેલ.રામનાથ પરાથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. અને વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભુપેન્દ્ર રોડ બાલાજી હનુમાનજી મંદિરે સંપન્ન થઈ હતી. ડી.જે.ના સંગે બજરંગીઓએ નૃત્ય કર્યા હતાં. જયશ્રીરામનો નારો સમગ્ર રૂટપર ગુંજતો રહ્યા હતો.ઉપરોકત તસ્વીરો બડાબજરંગ દાદાની શોભાયાત્રાની છે
(તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy