આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાવાઝોડા જેવા પ્રચાર પુર્વે બે રાષ્ટ્રીય નેતાઓ આજે ગુજરાતમાં

અમિત શાહ- પ્રિયંકા ગાંધી ગુજરાતમાં: પ્રચારમાં ગરમી: રેલીઓને સંબોધન

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 27 April, 2024 | 10:03 AM
◙ કેન્દ્રીય ગૃહમંત્રીની જામકંડોરણામાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાના પ્રચારમાં જબરી સભા
સાંજ સમાચાર

◙ ભરૂચ ઉપરાંત પંચમહાલ લોકસભા બેઠકો પર પ્રચાર કરશે અમિત શાહ: સાંજે વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રીનો જબરો રોડ-શો

◙ પ્રિયંકા ગાંધી ધરમપુરમાં: કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ટેકામાં રેલી: 15% આદિવાસી મતો પર ભાજપ-કોંગ્રેસ ‘આપ’ની નજર

રાજકોટ: ગુજરાતમાં આગામી તા.7ના રોજ યોજાનારા લોકસભા ચૂંટણી માટેના મતદાન પુર્વે હવે પ્રચારે ઝડપ પકડી લીધી છે અને આગામી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત-સૌરાષ્ટ્રમાં છ રેલીઓને સંબોધન કરનાર છે તે વચ્ચે આજે રાજયમાં બે રાષ્ટ્રીય નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે ચાર રેલીઓને સંબોધશે જેમાં તેઓ સવારે 10 વાગ્યે પોરબંદર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના પ્રચારમાં જામકંડોરણામાં સભાને સંબોધીને બાદમાં બપોરે સીધા ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના સમર્થનમાં બપોરે 2 વાગ્યે ખડોલી અને સભાને સંબોધે છે.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની ટકકર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે છે અને અહી હવે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ‘આપ’ની સાથે પ્રચારમાં જોડાયા છે અને આ બેઠક એ ગુજરાતની સૌથી સ્પર્ધાત્મક બેઠક ગણવામાં આવે છે.

શ્રી શાહ બાદમાં પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ ગોધરામાં બપોરે 4 વાગ્યે સભા સંબોધશે અને સાંજે તેઓ વડોદરા પહોંચશે તથા 6 વાગ્યે ભાજપના ઉમેદવાર ડો. હેમાંગભાઈ જોષીના સમર્થનમાં એક રોડ શો પણ કરશે. એકમાત્ર ભરૂચમાં શ્રી અમીત શાહની સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં જોડાશે.

બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ટેકામાં ધરમપુરમાં સભાને સંબોધશે. કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતાનો હાલની ચુંટણીમાં પ્રથમ પ્રવાસ છે. પ્રિયંકા ગાંધી છેલ્લે 2019માં અમદાવાદમાં પ્રચાર માટે આવ્યા હતા અને વિધાનસભા ચુંટણીમાં તેઓ ગુજરાતમાં પ્રચારથી દુર રહ્યા હતા.

તેઓ એકમાત્ર ધરમપુરમાં જ સભાને સંબોધશે. વલસાડ લોકસભા બેઠક પર અનંત પટેલ સામે ભાજપના ડો. ધવલ પટેલનો જંગ છે. અનંત પટેલ વાસંદાના ધારાસભ્ય છે અને તેઓ આદીવાસી ક્ષેત્રમાં લોકપ્રિય નેતા ગણાય છે. જેની સામે ડો. ધવલ પટેલ એ ‘બહાર’ના વ્યક્તિ તરીકે અહી સ્થાનિક સ્તરે ઓળખાય છે. ભરૂચ અને વલસાડની બેઠક પર 15% આદિવાસી પક્ષો પર બન્ને પક્ષની નજર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj