રાજકોટ તા.26
જેતપુરના અખંડાનંદ આશ્રમ ખાતે 29મો પાટોત્સવ અને યજ્ઞ કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો. અખંડાનંદ આશ્રમમાં 1995ના રોજ કરાયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિતે આ વર્ષે યજ્ઞ યોજાયો હતો.
જેમાં તા.9/4 થી 17/4 સુધી માતાજીની સ્તુતી તથા ગરબા તા.22/4ના સોમવારે માતાજીની અભિષેક વિધિ, ત્યારબાદ ડાક ડમરૂ સાથે માતાજીની સ્તુતી તા.23/4ના મંગળવારે નવચંડી યજ્ઞ અને સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિકોત્સવનો બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy