મુંબઈમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ.મ.ના સાંનિધ્યમાં યોજાયો મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવ

અખંડ 1008 આયંબિલ આરાધિકા મહાતપસ્વીના પારણાએ જૈનદર્શનના ઈતિહાસમાં સુવર્ણપૃષ્ઠ નોંધાવતા ‘વર્લ્ડ રેકોર્ડ’ એનાયત

Local | Rajkot | 29 April, 2024 | 11:08 AM
મુમુક્ષુ યશ્વીદીદીનું નૂતન દીક્ષિત પરમનેમ પ્રિયાજી મહાસતીજી નામકરણ જાહેર થયું
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ, ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતેશ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘના ઉપક્રમે યોજાયેલાં આ અવસરે 70થી વધુ સંત-સતીજીઓ, રાજકીય મહાનુભાવો, ભારતના અનેક ક્ષેત્રોના અનેક શ્રી સંઘો, શ્રેષ્ઠીવર્યો તેમજ હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમજ વિદેશના 170થી વધુ ક્ષેત્રોના લાઈવના માધ્યમે લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની રાહની વચ્ચે વહેલી સવારે  સી.વી. શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી તપ અનુમોદના યાત્રા અને મહાભિનિષ્ક્રમણ યાત્રા મહાતપસ્વી આત્માનો અને મુમુક્ષુ આત્માનો જયકાર ગજાવતી ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે પધારી હતી, જ્યા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ અવસરે શ્રી લોકેશમુનિ મહારાજ, શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ, હિન્દુ ધર્મ આચાર્ય સભાના જનરલ સેક્રેટરી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને બૌદ્ધ પંથ ભંતે દિપાંકર સુમેધોજી વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. 

બીજી તરફ, સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક એવી 1008 આયંબિલ તપ આરાધિકા પૂજ્ય મહાતપસ્વી મહાસતીજીને ડુંગર દરબારના શામિયાણામાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાંસાધ્વીજીઓ દ્વારા ડોલીમાં બિરાજમાન કરીને લાવવામાં આવ્યા બાદ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવતાં સર્વત્ર જય જયકાર વર્તાયો હતો.. 

દીક્ષાર્થીના હસ્તે શ્રીફળ ગ્રહણ કરવાનો લાભ માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી - બાદશાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. એકત્રિત થયેલી અનુદાનની સમગ્ર રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ ભાવિકોની મેડિકલ ઈમરજન્સી માટે કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

ત્યારબાદ સંસારી વસ્ત્રો ત્યજીને પ્રભુનો વેશ સજીને પધારેલાં મુમુક્ષુ આત્માને પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા મંત્રની અર્પણતા સાથે દિવ્યલોકના વરદાન સમા રજોહરણના દાન અર્પણ કરવામાં આવતાં જયનાદનો નાદ પ્રસરાઇ ગયો હતો. તે સાથે જ શ્રી શશીકાંતભાઈ ટોલીયા પરિવાર નામકરણનો લાભ લેતા મુમુક્ષુ આત્માને ગોંડલ સંપ્રદાયમાં નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીરૂપે ઘોષિત કરવામાં આવ્યા હતા. નૂતનદીક્ષિત પરમ મહાસતીજીના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે આ અવસર સહુ માટે એક પરમ  પ્રેરણાનો અવસર બન્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj