રાજકોટ,તા.26
લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે શરુ કરેલા ભરતી મેળામાં હવે વધુને વધુ જાણીતા નેતાઓ પણ કેસરીયા કરી રહ્યા છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી છોડનાર પાટિદાર આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવીયા આવતીકાલે સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરી ખેસ પહેરી લેશે.
બીજી તરફ સુરતમાં કોંગ્રેસને દગો આપીને ફોર્મ રદ થાય તેવો કારસો કરનાર નિલેશ કુંભાણી સામે હવે કોંગ્રેસે રહી રહીને પગલા લીધા છે અને તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે જો કે કુંભાણી અત્યાર સુધીમાં હજુ જાહેરમાં આવ્યા નથી.
કોંગ્રેસ પક્ષે હજુ સુધી કોઇ મહત્વપૂર્ણ કાનુની કાર્યવાહી કરી નથી પરંતુ હવે ટીકા થયા બાદ કુંભાણીને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને તેઓ પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ જાય તેવી શક્યતા છે.
અલ્પેશ કથીરીયાએ થોડા દિવસ પહેલા ખોડલધામના ક્ધવીનર તરીકે જવાબદારી સંભાળી હતી તે સૂચક છે. આમ આગામી દિવસોમાં ખોડલધામનું વલણ પણ નિશ્ચિત થઇ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy