(લિતેશ ચંદારાણા)
વાંકાનેર તા.29
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક આવેલ સુરાપુરા દાદાના મંદિર નજીક અચાનક કોઈ કારણોસર રાજકોટનો યુવાન બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા આ બનાવથી વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક સુરાપુરા દાદાના મંદિર પાસે યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ.40, રહે. રાજકોટ) નામનો યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા, ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
જેની આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy