(દેવાભાઈ રાઠોડ) વેરાવળ,તા.27
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે.વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર, અંધ અપંગ સહકાર કેન્દ્ર, ઉના અને સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ એમ વિવિધ જગ્યાઓએ અને નોડલ ઓફિસર પીડબલ્યૂડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.
ઉપરાંત બહેરા-મૂંગા દિવ્યાંગો માટે નોડલ અધિકારીની અને ઙઠઉ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વીડિયો કોલથી માહિતી આપવા બે સ્પેશ્યિલ એજયુકેટર્સની કંટ્રોલ રૂમ પર નિમણૂક કરવામાં આવી છે. હેલ્પલાઈન નં. 02876-285712 સંપર્ક કરી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરીકો કોઈપણ મદદ માટેની જાણકારી મેળવી શકશે. ઉપસ્થિત તમામને મતદાન જાગૃતિનો સંદેશો આપતી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy