સાળંગપુરના શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વકતાપદે

દુબઈમાં ત્રિ-દિવસીય હનુમાન ચરિત્ર કથા યોજાઈ

Local | Botad | 29 April, 2024 | 11:27 AM
સાંજ સમાચાર

સાળંગપુર,તા.29
દુબઈની ધરતી પર સાળંગપુરવાળા હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રીહનુમાન ચરિત્ર કથાનો ગઈકાલે ત્રીજો અને છેલ્લો દિવસ હતો. હરિપ્રકાશદાસજી સ્વામીએ સત્કર્મ, સંપત્તિ અને ભરોશાની વાત કરી હતી. ભરોશો કરો તો પૂરો હોવો જોઈએ તેમા પોલ ન ચાલે. પછુ હનુમાન તમારું કામ કરે જ.
હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાની શરૂઆતમાં કહ્યું કે મનુષ્ય જન્મ તો દરેકને મળે છે પરંતુ તેમા ભાગ્યશાળી કોન છે? એ છે જે મના આવા સાધુ મળે છે.

માણસ શરીરમાં બેઠેલી આત્મા જે બોલતી હોય, જે જુએ છે, જે ખાય છે, જે સાંભળે છે, જે ચાલે છે, જે આત્માનો શુક્રીત ઉદય થાય છે ત્યારે આપણને એક મનુષ્ય જન્મ મળે છે. તુલસીદાસ લખે છે કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ્ ગ્રન્થન્ડિ ગાવા જન્મ તો ઘણા લોકોને મળે છે. પરંતુ તેમા ભાગ્યવાન કોણ છે. જેમને આવા સાધુ મળે છે. જેમને ભગવાન અને ભક્તનો યોગ મળે છે તે ભાગ્યવાન છે. ભગવાનની કૃપા વગર સાધુ ક્યારેય મળતા નથી.

દુનિયા પૈસા કમાઈ છે અને અહીં ખર્ચે છે. તમે આ ઘરતી પર આવીને પુષ્ય કમાવ છો. જીવનનો મર્મ છે જીવનની જે સફળતા છે એ માત્ર દોડા કરવામાં કે સંપત્તિ કમાઈને મોટું નામ કરવામાં નથી. ઈશ્વરનું નામ લેવામાં મોટાઈ છે. નામ મોટું કરવામાં નથી. લોકો સંપત્તિની તો બહુ કમાય છે પરંતુ ઉપયોગ નથી કરી શકતા. આખી જિંદગી મજૂરી કરીને મરી જાય, વિશ્વની કંઈ ખબર ન હોય. ગામમાં જેને બસમાં બેસવાની ખબર ન પડે તેઓ પ્લેનમાં બેસી દુબઈ આવે. કોઈ દિવસ જિલ્લો ક્રોસ ન કર્યો હોય તે દેશ ક્રોસ કરી જાય, આતો મારો હનુમાન આગળ છે એટલે કંઈ ન થયું અને બધુ પાર પડ્યું. જ્યાં હનુમાન આગળ હોય ત્યાં કંઈ ચિંતા ન હોય.હનુમાન ચરિત્ર કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj