(અશોક જોશી દ્વારા) ગોંડલ તા.27 ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે તાજેતરમાં રામજીભાઈ જીણાભાઈ તથા નાથાભાઈ તથા દેવજીભાઈ ડોબરીયા પરીવારને ત્યાં પુષ્ટીમાર્ગીય આચાર્ય ગોકુલનાથજી મહારાજ (બીલખા વાળા)ના સાંનિધ્યમાં વલ્લભાચાર્ય નગરમાં મનોરથનાં સ્વરૂપમાં પુષ્ટી ધ્વજ દર્શન, ગૌ પૂજન, ગિરિરાજ પૂજન, વલ્લભચરિત્ર દર્શન, શ્રીજી દર્શન, ઠાકોરજીના પલના નંદ મહોત્સવ, યમુનાજીના લોટીજી ઉત્સવ, યમુના પાન તથા વધાઈ કિર્તન મહારાજના ચરણ સ્પર્શ સાથે દિવ્ય અલૌકિક મનોરથ યોજાયેલ હતો. આ પ્રસંગે અગ્રણી વૈષ્ણવો જીવરાજભાઈ વેકરીયા, ભૂપતભાઈ ડોબરીયા, કાન્તીભાઈ તથા રેખાબેન ધડુક સહીત અન્ય વરિષ્ઠ આગેવાનોએ ઉપસ્થિત રહી મનોરથી પરીવારને શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર મનોરથની સાજ સજાવટ તેમજ સંચાલન વૈષ્ણવ પરીવારના પ્રતિનિધિ વિઠ્ઠલભાઈ ધડુક, ડોબરીયા પરીવાર યુવક મંડળ, વૈષ્ણવ યુવક મંડળ, મરજાદી વૃંદ કીર્તનકાર વૃંદ દ્વારા તનુજા સેવા આપવામાં આવી હતી. આ અલૌકિક પ્રસંગે ગામનાં તેમજ બહારગામના વૈષ્ણવોએ હાજર રહી રાસ કિર્તન શ્રવણ તથા પ્રભુ દર્શન, તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભાવીકોને ઉપસ્થિત રહેવા બદલ મનોરથી ચેતનભાઈ તથા સાગરભાઈ ડોબરીયાએ સન્માનીત કરી આભાર માનેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy