ગોંડલ,તા.29
ગોંડલ વિસ્તાર સિંહોનું રહેઠાણ બની ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધી રહ્યા છે. જેમાં સુલતાનપુર ગામે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યાની ઘટના ધરી છે. આ ઘટનાને પગલે પશુ પાલકોમાં ફફડાટ સાથે ભયનું લખલખુ ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લામાંથી ગોંડલ પંથકમાં આવી ચડેલા સિંહ પરિવારે સુલતાનપુરમાં એક ગાયનું મારણ કર્યુ છે આ બનાવની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઓના કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy