(વસંત સોની) પાલીતાણા,તા.29
પાલીતાણા તળેટી રોડ ઉપર આવેલ સાદડી જાલોર ભવનની પાછળના ભાગે આવેલ શંખાકાર જિનાલય ખાતે પ.પૂ. આચાર્ય શ્રીમદ વિજય જયશેખર સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિરાજ શ્રી જયભદ્ર વિજયજી મ.સા., પૂ. મુનિરાજ શ્રી કેવલપૂર્ણ વિજયજી મ.સા. ની પાવન નિશ્રામાં આઠ ભગવાન શ્રી શીતલનાથ દાદા, શ્રી જીરાવલા પાર્શ્વનાથ દાદા, શ્રી સંભવનાથ દાદા, શ્રી સાચા સુમતિનાથ દાદા, શ્રી સીમંધર સ્વામીજી, શ્રી આદિશ્વર દાદા, શ્રી શાંતિનાથ દાદા, શ્રી અજીતનાથ દાદા ની નૂતન પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઐતિહાસિક અષ્ટાન્હિકા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈ, ભુજ, બેંગ્લોર, સુરત, નવસારી વગેરે સ્થળેથી જૈનો મોટી સંખ્યામાં આવ્યા છે.
આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે સવારના નવ કલાકે ભગવાનના નગર પ્રવેશનો ભવ્યાતિભવ્ય વરઘોડો સાહિત્ય મંદિરેથી નીકળી તળેટી રોડ ઉપર થઈને શંખાકાર જિનાલય આવેલ હતો. આ વરઘોડામાં આઠ વિન્ટેજ રોલ્સ રોયસ ની ગાડીઓ, પાંચ બગીચા, ચાંદીનો રથ, ચાંદીની ઈન્દ્ર ધજા, આકર્ષણનો મુખ્ય કેન્દ્ર બનેલ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય લાભાર્થી પરિવાર શ્રીમતી પ્રતિમાબેન મુકેશભાઈ શાહ પરિવાર છે. તા.28ના રવિવારે નૂતન આઠ ભગવાનની પાવન પ્રતિષ્ઠા તેમજ ધ્વજા મહોત્સવ, બૃહદ અષ્ટોતરી, શાંતિ સ્નાત્ર મહોત્સવ, ભાવના તેમજ તા. 29-4-24 ને સોમવારે સવારના છ કલાકે દ્વાર ઉદ્ઘાટન તેમજ સત્તર ભેદી પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.
શેત્રુંજય ગીરીરાજ ની તળેટીમાં ફક્ત 54 દિવસમાં આ શંખાકાર જિનાલય નું નિર્માણ થયેલ. આ દ્વિમંજલીય એવો દેશ વિદેશમાં પ્રખ્યાત શ્રી શંખાકાર જિનાલય ને જુદા જુદા 21 વર્લ્ડ રેકોર્ડ તેમજ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy