તેલંગાણા, તા 26
તેલંગાણામાં ઇન્ટરમીડીએટ પરિણામો જાહેર થયાને માત્ર થોડા જ કલાકો થયા હતા અને જુદા જુદા ભાગોમાંથી 7 બાળકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ તમામે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
પોલીસનું કહેવું છે કે જીવ ગુમાવનારા બાળકોની ઉંમર 17 વર્ષથી ઓછી છે. ખાસ વાત એ છે કે વર્ષ 2019માં ઇન્ટરમીડીએટ પરિણામ જાહેર થયા બાદ ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઈન્ટરમીડિયેટ એજ્યુકેશન (TSBIE)ના પરિણામો જાહેર થયાના 30 કલાકની અંદર ઓછામાં ઓછા 7 વિદ્યાર્થીઓએ કથિત રીતે આત્મહત્યા કરી છે. રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રાજ્યભરમાંથી આવી ઘટનાઓની માહિતી મળી રહી છે.
પ્રથમ ઘટના મંચેરિયલ જિલ્લાના તંદૂરની છે, જ્યાં એક 16 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તે પહેલા વર્ષમાં ચાર વિષયમાં નાપાસ થયો હતો. તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. અન્ય ઘટનાઓમાં જીવ ગુમાવનાર તમામ 16-17 વર્ષની વયની છોકરીઓ હતી. આ બધા એક અથવા વધુ પરીક્ષાઓમાં નાપાસ થયા છે.
આ યુવતીઓ રાજેન્દ્રનગર, ખમ્મમ, મહબૂબાબાદ અને કોલ્લુરથી આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે જેઇઇ મેઇન પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનારાઓમાં મોટી સંખ્યામાં તેલંગાણાની છે.
સમગ્ર દેશમાં100 પર્સન્ટાઈલ મેળવનારા 56 ઉમેદવારોમાંથી 15 તેલંગાણાના હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેલંગાણામાંથી મોટી સંખ્યામાં ટોપર્સ જતા રહ્યા છે. ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં 9.8 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
હવે 61.06 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ (વર્ગ ઈંઈંની સમકક્ષ) પાસ થયા છે. જ્યારે, 69.46 વિદ્યાર્થીઓ બીજા વર્ષ (ધોરણ 12માં સમકક્ષ) પાસ થયા છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 મેથી શરૂ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy