ભાવનગર, તા.૬
ભાવનગરમાં આજરોજ ૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૨૪ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ મળી કુલ ૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાનાં રાજપરા નં.૨ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૨૨૪ કેસ પૈકી હાલ ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.