(વિપુલ હિરાણી)
ભાવનગર તાઃ ૨૬
ભાવનગરમાં આજરોજ ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લમાં કુલ કેસોની સંખ્યા ૬,૧૫૮ થઈ છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૯ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લાના નોંધાયેલા ૬,૧૫૮ કેસ પૈકી હાલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.