(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨૪
ભાવનગરમાં આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૧૩૮ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૪ કેસ મળી કુલ ૫ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૧૩૮ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.