રાજકોટ, તા.27
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે 400થી પણ ઓછા કેસો નોંધાયા છે જ્યારે 400થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.79 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 3,976 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 353 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે, જ્યારે 462 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,51,862 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 3,933 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,382 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,60,220 પર પહોંચ્યો છે.
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ - વડોદરા 75, રાજકોટ 64, સુરત 47, પંચમહાલ - સાબરકાંઠા - ગાંધીનગર 9, જૂનાગઢ 8, મોરબી 6, ભરૂચ - કચ્છ - નર્મદા જામનગર 5, ભાવનગર - ગીર સોમનાથ 4, અમરેલી આણંદ - દેવભૂમિ દ્વારકા - ખેડા 3, મહિસાગર મહેસાણા - પાટણ 2, અરવલ્લી - છોટાઉદેપુર - દાહોદ સુરેન્દ્રનગર - વલસાડ 1.