(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૩
ભાવનગરમાં આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૩૧ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૫ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. જેથી તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૬ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૦૩૧ કેસ પૈકી હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૯૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.