રોડ સલામતી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અમરેલી આરટીઓ કચેરી દ્વારા આગામી તા. 17/2/2021 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે આરટીઓ કચેરી ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં માર્ગ સલામતી માસનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ડીડીઓ તેમજસ પરમાર, આરટીઓ અધિકારી આઇ.એસ.ટાંક ઉપસ્થિત રહ્યા હતા.