રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. સતત 4 વાર 1500થી વધુ કેસ નોંધાયા બાદ આજે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 1600થી વધુ કેસ સામે આવ્યા છે. આ આંકડો વાયરસની અતિગંભીર પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે.
તહેવારો દરમિયાન લોકોએ દાખવેલી બેદરકારીના પરિણામ રૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1607 કેસો નોંધાયા છે. અને 16 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1388 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14636 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3938 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 205116 પર પહોંચ્યો
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 353,
સુરત 299,
વડોદરા 167,
રાજકોટ 139,
ગાંધીનગર 66,
બનાસકાંઠા 51,
પાટણ 49,
મહેસાણા 43
જામનગર 43,
આણંદ 37,
ખેડા 35,
ભરૂચ 32,
પંચમહાલ 32,
સુરેન્દ્રનગર 27,
ભાવનગર 26,
અમરેલી 23,
સાબરકાંઠા 23,
જૂનાગઢ 23,
દાહોદ 19,
મહિસાગર 18,
મોરબી 16,
ગીર સોમનાથ 15
કચ્છ 15,
નર્મદા 14,
બોટાદ 9,
નવસારી 8,
વલસાડ 6,
દેવભૂમિ દ્વારકા 5,
અરવલ્લી 4
છોટા ઉદેપુર 4,
ડાંગ 3,
પોરબંદર 2,
તાપી 1.