નવી દિલ્હી તા.2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘુસણખોર ગણાવતાં લોકસભાના કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી ભેખેડે ભરાયા છે. આ વિવાદ શમે તે પહેલાં તેમણે નાણાપ્રધાન નિર્મલા સીતારામનને નિર્બળા ગણાવ્યા હતા. લોકસભામાં કોર્પોરેટ ટેકસ ઘટાડવાનાં સંશોધન કાયદા પરની ચર્ચામાં બોલતા ચૌધરીએ જણાવ્યું હતું કે તમારા માટે રીસ્પેકટ ચાલુ છે. પણ કયારેક વિચારૂ છું કે તમને નિર્મલા સીતારામનના બદલે નિર્મલા સીતારામન કહેવું ઠીક હશે કે નહી તમે મંત્રીપર પર તો છો જ પણ તમારા મનમાં જે છે તે કહી શકો છો કે નહીં.