ભચાઉ તાલુકાના ચોબારી ગામે નર્મદા કેનાલની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતી થયાની ફરિયાદો ઉઠી છે. ચર્ચાતી વિગતો મુજબ આ કામગીરીમાં સાત કિલોમીટરના ડામર રોડ બનાવેલ નથી અને અનેક જગ્યાએ ગામડા પડેલ છે. કેનાલનું એકદમ નબળું બાંધકામ કરેલ છે. ભૂતકાળમાં ચોબારી મનફરા કણખોઈ ગ્રામજનો દ્વારા આ પ્રશ્ર્ને રજુઆત કરાયેલ પરંતુ કોઈ નોંધ લેવાયેલ નથી. આ પ્રશ્ર્ને તંત્ર જાગૃત બની પગલે લેશે ખરૂ?